Romans 10:8 in Gujarati

Gujarati Gujarati Bible Romans Romans 10 Romans 10:8

Romans 10:8
શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.

Romans 10:7Romans 10Romans 10:9

Romans 10:8 in Other Translations

King James Version (KJV)
But what saith it? The word is nigh thee, even in thy mouth, and in thy heart: that is, the word of faith, which we preach;

American Standard Version (ASV)
But what saith it? The word is nigh thee, in thy mouth, and in thy heart: that is, the word of faith, which we preach:

Bible in Basic English (BBE)
But what does it say? The word is near you, in your mouth and in your heart: that is, the word of faith of which we are the preachers:

Darby English Bible (DBY)
But what says it? The word is near thee, in thy mouth and in thy heart: that is, the word of faith, which we preach:

World English Bible (WEB)
But what does it say? "The word is near you, in your mouth, and in your heart;" that is, the word of faith, which we preach:

Young's Literal Translation (YLT)
But what doth it say? `Nigh thee is the saying -- in thy mouth, and in thy heart:' that is, the saying of the faith, that we preach;

even
ἀλλὰallaal-LA
But
τίtitee
what
saith
λέγειlegeiLAY-gee
it?
Ἐγγύςengysayng-GYOOS
nigh
σουsousoo
thee,
τὸtotoh
The
ῥῆμάrhēmaRAY-MA
word
ἐστινestinay-steen
is
in
ἐνenane

τῷtoh
mouth,
στόματίstomatiSTOH-ma-TEE
thy
σουsousoo
and
καὶkaikay
in
ἐνenane

τῇtay
heart:
καρδίᾳkardiakahr-THEE-ah
thy
σουsousoo
that
τοῦτ'touttoot
is,
ἔστινestinA-steen
the
τὸtotoh
word
ῥῆμαrhēmaRAY-ma

of
τῆςtēstase
faith,
πίστεωςpisteōsPEE-stay-ose
which
hooh
we
preach;
κηρύσσομενkēryssomenkay-RYOOS-soh-mane

Cross Reference

પુનર્નિયમ 30:14
પરંતુ તે તો છેક તમાંરી નજીક છે, તમાંરે હોઠે અને હૈયે છે, તેથી તમે તેમને આધિન થાઓ.

રોમનોને પત્ર 1:16
આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને.

1 તિમોથીને 4:6
આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ.

1 પિતરનો પત્ર 1:25
પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” યશાયા 40:6-8અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.

યશાયા 57:19
હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ; જેઓ દૂર છે તેમજ પાસે છે તેઓને શાંતિ થાઓ, કારણ કે હું તે બધાને સાજા કરીશ.”

1 પિતરનો પત્ર 1:23
તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે.

ગ લાતીઓને પત્ર 3:2
મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો.

રોમનોને પત્ર 10:17
આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:38
ભાઈઓ, અમે તમારી આગળ જે પ્રગટ કરીએ છીએ, તે તમારે સમજવું જોઈએ કે તેના દ્ધારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેના (ઈસુ) મારફત પ્રત્યેક વ્યક્તિ જે વિશ્વાસીઓ છે તેને બધામાંથી મુક્તિ મળશે.

પ્રેરિતોનાં ક્રત્યો 10:43
પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”

માર્ક 16:15
ઈસુએ શિષ્યોને કહ્યું, “દુનિયામાં દરેક જગ્યાએ જાઓ, પ્રત્યેક વ્યક્તિને સુવાર્તા કહો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:31
તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.”

ગ લાતીઓને પત્ર 3:5
દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.