Genesis 26:12 in Gujarati

Gujarati Gujarati Bible Genesis Genesis 26 Genesis 26:12

Genesis 26:12
ઇસહાકે તે પ્રદેશમાં ખેતી કરી અને તે જ વષેર્ મબલખ પાક ઉતર્યો. યહોવાએ તેના પર ધણી કૃપા કરી.

Genesis 26:11Genesis 26Genesis 26:13

Genesis 26:12 in Other Translations

King James Version (KJV)
Then Isaac sowed in that land, and received in the same year an hundredfold: and the LORD blessed him.

American Standard Version (ASV)
And Isaac sowed in that land, and found in the same year a hundredfold. And Jehovah blessed him.

Bible in Basic English (BBE)
Now Isaac, planting seed in that land, got in the same year fruit a hundred times as much, for the blessing of the Lord was on him.

Darby English Bible (DBY)
And Isaac sowed in that land, and received in the same year a hundredfold; and Jehovah blessed him.

Webster's Bible (WBT)
Then Isaac sowed in that land, and received in the same year a hundred-fold: and the LORD blessed him:

World English Bible (WEB)
Isaac sowed in that land, and reaped in the same year one hundred times what he planted. Yahweh blessed him.

Young's Literal Translation (YLT)
And Isaac soweth in that land, and findeth in that year a hundredfold, and Jehovah blesseth him;

Then
Isaac
וַיִּזְרַ֤עwayyizraʿva-yeez-RA
sowed
יִצְחָק֙yiṣḥāqyeets-HAHK
in
that
בָּאָ֣רֶץbāʾāreṣba-AH-rets
land,
הַהִ֔ואhahiwha-HEEV
and
received
וַיִּמְצָ֛אwayyimṣāʾva-yeem-TSA
same
the
in
בַּשָּׁנָ֥הbaššānâba-sha-NA
year
הַהִ֖ואhahiwha-HEEV
an
hundredfold:
מֵאָ֣הmēʾâmay-AH

שְׁעָרִ֑יםšĕʿārîmsheh-ah-REEM
Lord
the
and
וַֽיְבָרֲכֵ֖הוּwaybārăkēhûva-va-ruh-HAY-hoo
blessed
יְהוָֽה׃yĕhwâyeh-VA

Cross Reference

ઊત્પત્તિ 26:3
અત્યારે તું આ જ દેશમાં રહે; હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજોને બધા પ્રદેશો આપીશ. અને તારા પિતા ઇબ્રાહિમ આગળ મેં જે સમ ખાધા હતા તે પૂરા કરીશ.

ઊત્પત્તિ 24:1
હવે ઇબ્રાહિમ ખૂબ વૃદ્વ થયો હતો. યહોવાએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા અને તેના પ્રત્યેક કામમાં સફળતા પ્રદાન કરી.

અયૂબ 42:12
યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી.

ઊત્પત્તિ 24:35
યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે.

1 કરિંથીઓને 3:6
મેં બીજ વાવ્યાં અને અપોલોસે તેને પાણી સિંચ્ચુ. પરંતુ દેવે તે બીજ અંકુરિત કર્યુ.

માર્ક 4:8
કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”

માથ્થી 13:23
“સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”

માથ્થી 13:8
કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા.

ઝખાર્યા 8:12
“હવે હું તમારી મધ્યે શાંતિ અને સમૃદ્ધિ લાવીશ. તમારાં ખેતરોમાં વધારે અનાજ પાકશે, દ્રાક્ષાવેલાઓ દ્રાક્ષાથી લચી પડશે. ઘણાં વરસાદને લીધે જમીન વધારે ફળદ્રુપ થશે. આ સર્વ આશીર્વાદો બાકી રહેલા લોકોને આપવામાં આવશે.

ઊત્પત્તિ 30:30
હું આવ્યો ત્યારે તમાંરી પાસે તે થોડાં હતાં અને હવે તેમાં ઘણો વધારો થયો છે. જયારે જયારે મેં તમાંરા માંટે જે કાંઈ કર્યું છે, ત્યારે ત્યારે યહોવાએ તમાંરા પર કૃપા કરી છે. હવે, માંરા માંટે સમય પાકી ગયો છે જેથી હું પોતાના માંટે કાંઈ કરું. પછી હું માંરા પોતાના પરિવાર માંટે ઘરની જોગવાઈ કયારે કરીશ?”

ગ લાતીઓને પત્ર 6:7
ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે.

2 કરિંથીઓને 9:10
દેવ તે એક છે જે વ્યક્તિને વાવણી માટે બીજ આપે છે. અને તે આહાર માટે રોટલી આપે છે. અને દેવ તમને આત્મિક બીજ આપશે અને તે બીજને અંકૂરીત કરશે. તમારી સદભાવનાની તે ઉત્તમ કાપણી કરશે.

સભાશિક્ષક 11:6
સવારમાં બી વાવ, ને સાંજે તારા કામમાંથી વિશ્રાન્તિ લઇશ નહિ; કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.

ગીતશાસ્ત્ર 72:16
દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.

ગીતશાસ્ત્ર 67:6
પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે. હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.

ઊત્પત્તિ 26:29
અમે લોકોએ તમાંરું કોઈ નુકસાન કર્યુ નહોતું, હવે તમાંરે સમ ખાવા જોઈએ કે, અમને લોકોને કોઈ નુકસાન કરશો નહિ. અમે લોકોએ તમને શાંતિથી સહીસલામત રીતે વિદાય કર્યા છે. અને હવે એ સ્પષ્ટ છે કે, યહોવાએ તમને આશીર્વાદ આપ્યાં છે.”