Joshua 2:5
રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.”
And it came to pass | וַיְהִ֨י | wayhî | vai-HEE |
shutting of time the about | הַשַּׁ֜עַר | haššaʿar | ha-SHA-ar |
of the gate, | לִסְגּ֗וֹר | lisgôr | lees-ɡORE |
dark, was it when | בַּחֹ֙שֶׁךְ֙ | baḥōšek | ba-HOH-shek |
men the that | וְהָֽאֲנָשִׁ֣ים | wĕhāʾănāšîm | veh-ha-uh-na-SHEEM |
went out: | יָצָ֔אוּ | yāṣāʾû | ya-TSA-oo |
whither | לֹ֣א | lōʾ | loh |
the men | יָדַ֔עְתִּי | yādaʿtî | ya-DA-tee |
went | אָ֥נָה | ʾānâ | AH-na |
I wot | הָֽלְכ֖וּ | hālĕkû | ha-leh-HOO |
not: | הָֽאֲנָשִׁ֑ים | hāʾănāšîm | ha-uh-na-SHEEM |
pursue | רִדְפ֥וּ | ridpû | reed-FOO |
after | מַהֵ֛ר | mahēr | ma-HARE |
them quickly; | אַֽחֲרֵיהֶ֖ם | ʾaḥărêhem | ah-huh-ray-HEM |
for | כִּ֥י | kî | kee |
ye shall overtake | תַשִּׂיגֽוּם׃ | taśśîgûm | ta-see-ɡOOM |
Cross Reference
Joshua 2:7
રાજાના માંણસો તેમનો પીછો પકડવા યર્દન નદીના ઘાટ સુધી ગયા; અને તેઓ બહાર ગયા તે દરમ્યાન લોકોએ નગરના દરવાજાઓ બંધ કરી દીધા હતા.
Nehemiah 13:19
તેથી મેં તેઓને આજ્ઞા કરી કે શુક્રવારની રાતે અંધારું થતાં નગરના દરવાજાઓ બંધ કરવામાં આવે અને સાબ્બાથનો દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને ઉઘાડવામાં ન આવે. મારા કેટલાક સેવકોને મેં દરવાજા આગળ ગોઠવી દીધા કે જેથી સાબ્બાથે કોઇ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.
Isaiah 60:11
તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે, રાતે કે દિવસે કદી બંધ થશે નહિ, જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે.
Jeremiah 50:20
“જ્યારે એ સમય આવશે ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે, યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે, કારણ કે, જેમને હું જીવતા રહેવા દઇશ તેમને માફ કરીશ.” આ યહોવાના વચન છે.
Ezekiel 47:1
પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું.
Ezekiel 47:12
એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”
Romans 3:7
કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?”
Revelation 21:25
તે શહેરના દરવાજાઓ દિવસ દરમ્યાન કદાપિ બંધ રહેશે નહિ. કારણ કે ત્યાં રાત્રિ નથી.