ઝખાર્યા 8:17 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ઝખાર્યા ઝખાર્યા 8 ઝખાર્યા 8:17

Zechariah 8:17
બીજાઓને નુકસાન કરવાની યોજનાઓ કરશો નહિ; અને કદી કોઇ જૂઠા સમ ખાવા નહિ; કારણ હું આ સર્વ કૃત્યોને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે.

Zechariah 8:16Zechariah 8Zechariah 8:18

Zechariah 8:17 in Other Translations

King James Version (KJV)
And let none of you imagine evil in your hearts against his neighbour; and love no false oath: for all these are things that I hate, saith the LORD.

American Standard Version (ASV)
and let none of you devise evil in your hearts against his neighbor; and love no false oath: for all these are things that I hate, saith Jehovah.

Bible in Basic English (BBE)
Let no one have any evil thought in his heart against his neighbour; and have no love for false oaths: for all these things are hated by me, says the Lord.

Darby English Bible (DBY)
and let none of you imagine evil in your hearts against his neighbour; and love no false oath: for all these are [things] that I hate, saith Jehovah.

World English Bible (WEB)
and let none of you devise evil in your hearts against his neighbor, and love no false oath: for all these are things that I hate," says Yahweh.

Young's Literal Translation (YLT)
And each the evil of his neighbour ye do not devise in your heart, And a false oath ye do not love, For all these `are' things that I have hated, An affirmation of Jehovah.'

And
let
none
וְאִ֣ישׁ׀wĕʾîšveh-EESH

אֶתʾetet
of
you
imagine
רָעַ֣תrāʿatra-AT

רֵעֵ֗הוּrēʿēhûray-A-hoo
evil
אַֽלʾalal
in
your
hearts
תַּחְשְׁבוּ֙taḥšĕbûtahk-sheh-VOO
against
his
neighbour;
בִּלְבַבְכֶ֔םbilbabkembeel-vahv-HEM
love
and
וּשְׁבֻ֥עַתûšĕbuʿatoo-sheh-VOO-at
no
שֶׁ֖קֶרšeqerSHEH-ker
false
אַֽלʾalal
oath:
תֶּאֱהָ֑בוּteʾĕhābûteh-ay-HA-voo
for
כִּ֧יkee

אֶתʾetet
all
כָּלkālkahl
these
אֵ֛לֶּהʾēlleA-leh
that
things
are
אֲשֶׁ֥רʾăšeruh-SHER
I
hate,
שָׂנֵ֖אתִיśānēʾtîsa-NAY-tee
saith
נְאֻםnĕʾumneh-OOM
the
Lord.
יְהוָֽה׃yĕhwâyeh-VA

Cross Reference

ઝખાર્યા 7:10
તેઓને જણાવો કે વિધવાઓ, અનાથો, વિદેશીઓ અને ગરીબ લોકો પર જુલમ કરવાનું બંધ કરે. અને તમારામાંનો કોઇ મનમાં પણ પોતાના ભાઇનું ખોટૂ ન વિચારે.”

નીતિવચનો 6:16
યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.

નીતિવચનો 3:29
તારો પડોશી તારી પડોશમાં પોતાને સુરક્ષિત અનુભવે છે, તેની સામે અનિષ્ટ યોજના કરીશ નહિ.

માથ્થી 15:19
કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે.

માલાખી 3:5
સૈન્યોનો દેવ યહોવા કહે છે,”ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.

હબાક્કુક 1:13
તમારી આંખો એટલી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઇ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી શા માટે તમે એ અપ્રામાણિક લોકોને જોઇ રહ્યાં છો. અને દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે મૂંગા રહો છો?

ચર્મિયા 4:14
હે યરૂશાલેમ, તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે, તો કદાચ તું બચી જાય, તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?

માથ્થી 12:35
સારા માણસના હૃદયમાં સારી વસ્તુ સંધરેલી હોય તો તે સારું જ ખોલે છે. પણ જો દુષ્ટના હૃદયમાં ખરાબ વાત સંઘરેલી હોય તો તેને હોઠે ખરાબ વાત જ બોલાય છે.

માથ્થી 5:28
પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે.

ઝખાર્યા 5:3
ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.”

મીખાહ 2:1
જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે તેઓને ધિક્કાર છે! પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.

ચર્મિયા 44:4
મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’

ચર્મિયા 4:2
અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ; તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે, તથા તેનામાં અભિમાન કરશે.”

નીતિવચનો 8:13
યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.

નીતિવચનો 6:14
તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે.

ગીતશાસ્ત્ર 10:3
ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે; લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.

ગીતશાસ્ત્ર 5:5
તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.