Psalm 119:116
તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું. મારી આશાઓને નિરાશ ન કરો.
Psalm 119:116 in Other Translations
King James Version (KJV)
Uphold me according unto thy word, that I may live: and let me not be ashamed of my hope.
American Standard Version (ASV)
Uphold me according unto thy word, that I may live; And let me not be ashamed of my hope.
Bible in Basic English (BBE)
Be my support as you have said, and give me life; let not my hope be turned to shame.
Darby English Bible (DBY)
Uphold me according to thy ùword, that I may live; and let me not be ashamed of my hope.
World English Bible (WEB)
Uphold me according to your word, that I may live. Let me not be ashamed of my hope.
Young's Literal Translation (YLT)
Sustain me according to Thy saying, And I live, and Thou puttest me not to shame Because of my hope.
| Uphold | סָמְכֵ֣נִי | somkēnî | some-HAY-nee |
| me according unto thy word, | כְאִמְרָתְךָ֣ | kĕʾimrotkā | heh-eem-rote-HA |
| live: may I that | וְאֶֽחְיֶ֑ה | wĕʾeḥĕye | veh-eh-heh-YEH |
| not me let and | וְאַל | wĕʾal | veh-AL |
| be ashamed | תְּ֝בִישֵׁ֗נִי | tĕbîšēnî | TEH-vee-SHAY-nee |
| of my hope. | מִשִּׂבְרִֽי׃ | miśśibrî | mee-seev-REE |
Cross Reference
રોમનોને પત્ર 5:5
આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. ‘પવિત્ર આત્મા’ દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ ‘પવિત્ર આત્મા’ આપણને પ્રાપ્ત થયો છે.
ગીતશાસ્ત્ર 25:2
હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઇ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
ગીતશાસ્ત્ર 37:24
તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ, કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
ગીતશાસ્ત્ર 37:17
કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
1 પિતરનો પત્ર 2:6
પવિત્રશાસ્ત્ર કહે છે કે: “જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે, અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું; જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” યશાયા 28:16
રોમનોને પત્ર 10:11
હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”
યશાયા 45:17
પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે. સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય, તેને કદી શરમાવું નહિ પડે.
યશાયા 42:1
યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે, જેનો મેં હાથ જાલ્યો છે, એ મારો પસંદ કરેલો છે, જેના પર હું પ્રસન્ન છું, એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે, અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
યશાયા 41:10
તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
ગીતશાસ્ત્ર 94:18
જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
ગીતશાસ્ત્ર 63:8
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે, તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
ગીતશાસ્ત્ર 54:4
યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.
ગીતશાસ્ત્ર 41:12
હું નિદોર્ષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો. તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
રોમનોને પત્ર 9:32
સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા.