Psalm 112:7
તે ખરાબ સમાચારથી ડરતો નથી; અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
Psalm 112:7 in Other Translations
King James Version (KJV)
He shall not be afraid of evil tidings: his heart is fixed, trusting in the LORD.
American Standard Version (ASV)
He shall not be afraid of evil tidings: His heart is fixed, trusting in Jehovah.
Bible in Basic English (BBE)
He will have no fear of evil news; his heart is fixed, for his hope is in the Lord.
Darby English Bible (DBY)
He shall not be afraid of evil tidings; his heart is fixed confiding in Jehovah;
World English Bible (WEB)
He will not be afraid of evil news. His heart is steadfast, trusting in Yahweh.
Young's Literal Translation (YLT)
Of an evil report he is not afraid, Prepared is His heart, confident in Jehovah.
| He shall not | מִשְּׁמוּעָ֣ה | miššĕmûʿâ | mee-sheh-moo-AH |
| be afraid | רָ֭עָה | rāʿâ | RA-ah |
| of evil | לֹ֣א | lōʾ | loh |
| tidings: | יִירָ֑א | yîrāʾ | yee-RA |
| heart his | נָכ֥וֹן | nākôn | na-HONE |
| is fixed, | לִ֝בּ֗וֹ | libbô | LEE-boh |
| trusting | בָּטֻ֥חַ | bāṭuaḥ | ba-TOO-ak |
| in the Lord. | בַּיהוָֽה׃ | bayhwâ | bai-VA |
Cross Reference
ગીતશાસ્ત્ર 57:7
હે દેવ! મારું હૃદય તૈયાર છે, મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે. હું દેવ સ્તોત્રો ગાઇશ.
નીતિવચનો 1:33
પરંતુ જે કોઇ મારું કહ્યુ સાંભળશે તે સુરક્ષિત રહેશે. અને કોઇપણ જાતના નુકશાન થવાના ભય વિના શાંતિ અનુભવશે.”
યશાયા 26:3
હે યહોવા, જેમનાં ચિત્ત ચલિત થતાં નથી, તેમને તું પૂરેપૂરી શાંતિમાં રાખે છે; કારણ કે તેઓ તારા પર વિશ્વાસ રાખે છે.
ગીતશાસ્ત્ર 64:10
સદાચારીઓ યહોવામાં આનંદ માણશે. તે દેવ પર આધાર રાખે છે. અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.
ગીતશાસ્ત્ર 34:4
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 27:25
તેથી માનવબંધુઓ પ્રસન્ન થાઓ! મને દેવમાં વિશ્વાસ છે. તેના દૂતે કહ્યું તે મુજબ જ બધું બનશે.
યોહાન 14:1
ઈસુએ કહ્યું, “તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો.
લૂક 21:9
જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”
દારિયેલ 3:16
શાદ્રાખ, મેશાખ અને અબેદનગોએ જવાબ આપ્યો, “હે નબૂખાદનેસ્સાર રાજા, અમારું શું થશે એની અમે ચિંતા કરતા નથી.
નીતિવચનો 3:25
ઓચિંતા ભયથી કે દુષ્ટ માણસો પર આવતા સર્વનાશથી તું ગભરાઇશ નહિ.
ગીતશાસ્ત્ર 118:8
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં; યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
ગીતશાસ્ત્ર 118:6
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
ગીતશાસ્ત્ર 62:8
હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો, અને તમારી શું મનોકામના છે તે તેને કહો. આપણા સૌનો આશ્રય દેવ છે.
ગીતશાસ્ત્ર 56:3
જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારો ભરોસો કરીશ.
ગીતશાસ્ત્ર 27:1
યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?
પ્રેરિતોનાં ક્રત્યો 21:13
પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”
પ્રેરિતોનાં ક્રત્યો 20:24
હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.
લૂક 21:19
જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.