Ezekiel 20:21
“‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો.
Ezekiel 20:21 in Other Translations
King James Version (KJV)
Notwithstanding the children rebelled against me: they walked not in my statutes, neither kept my judgments to do them, which if a man do, he shall even live in them; they polluted my sabbaths: then I said, I would pour out my fury upon them, to accomplish my anger against them in the wilderness.
American Standard Version (ASV)
But the children rebelled against me; they walked not in my statutes, neither kept mine ordinances to do them, which if a man do, he shall live in them; they profaned my sabbaths. Then I said I would pour out my wrath upon them, to accomplish my anger against them in the wilderness.
Bible in Basic English (BBE)
But the children would not be controlled by me; they were not guided by my rules, and they did not keep and do my orders, which, if a man does them, will be life to him; and they had no respect for my Sabbaths: then I said I would let loose my passion on them to give full effect to my wrath against them in the waste land.
Darby English Bible (DBY)
And the children rebelled against me: they walked not in my statutes, neither kept mine ordinances to do them, which if a man do, he shall live by them; they profaned my sabbaths: and I said I would pour out my fury upon them, to accomplish mine anger against them in the wilderness.
World English Bible (WEB)
But the children rebelled against me; they didn't walk in my statutes, neither kept my ordinances to do them, which if a man do, he shall live in them; they profaned my Sabbaths. Then I said I would pour out my wrath on them, to accomplish my anger against them in the wilderness.
Young's Literal Translation (YLT)
And -- the sons rebel against Me, In My statutes they have not walked, And My judgments they have not observed -- to do them, Which the man who doth -- liveth by them. My sabbaths they have polluted, And I say to pour out My fury upon them, To complete Mine anger against them in the wilderness.
| Notwithstanding the children | וַיַּמְרוּ | wayyamrû | va-yahm-ROO |
| rebelled | בִ֣י | bî | vee |
| walked they me: against | הַבָּנִ֗ים | habbānîm | ha-ba-NEEM |
| not | בְּחֻקּוֹתַ֣י | bĕḥuqqôtay | beh-hoo-koh-TAI |
| in my statutes, | לֹֽא | lōʾ | loh |
| neither | הָ֠לָכוּ | hālākû | HA-la-hoo |
| kept | וְאֶת | wĕʾet | veh-ET |
| my judgments | מִשְׁפָּטַ֨י | mišpāṭay | meesh-pa-TAI |
| to do | לֹא | lōʾ | loh |
| them, which | שָׁמְר֜וּ | šomrû | shome-ROO |
| man a if | לַעֲשׂ֣וֹת | laʿăśôt | la-uh-SOTE |
| do, | אוֹתָ֗ם | ʾôtām | oh-TAHM |
| אֲשֶׁר֩ | ʾăšer | uh-SHER | |
| live even shall he | יַעֲשֶׂ֨ה | yaʿăśe | ya-uh-SEH |
| in them; they polluted | אוֹתָ֤ם | ʾôtām | oh-TAHM |
| הָֽאָדָם֙ | hāʾādām | ha-ah-DAHM | |
| sabbaths: my | וָחַ֣י | wāḥay | va-HAI |
| then I said, | בָּהֶ֔ם | bāhem | ba-HEM |
| out pour would I | אֶת | ʾet | et |
| my fury | שַׁבְּתוֹתַ֖י | šabbĕtôtay | sha-beh-toh-TAI |
| upon | חִלֵּ֑לוּ | ḥillēlû | hee-LAY-loo |
| accomplish to them, | וָאֹמַ֞ר | wāʾōmar | va-oh-MAHR |
| my anger | לִשְׁפֹּ֧ךְ | lišpōk | leesh-POKE |
| against them in the wilderness. | חֲמָתִ֣י | ḥămātî | huh-ma-TEE |
| עֲלֵיהֶ֗ם | ʿălêhem | uh-lay-HEM | |
| לְכַלּ֥וֹת | lĕkallôt | leh-HA-lote | |
| אַפִּ֛י | ʾappî | ah-PEE | |
| בָּ֖ם | bām | bahm | |
| בַּמִּדְבָּֽר׃ | bammidbār | ba-meed-BAHR |
Cross Reference
હઝકિયેલ 20:13
“‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો,
હઝકિયેલ 20:8
પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો.
પુનર્નિયમ 31:27
મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો!
ગણના 21:5
તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”
પ્રકટીકરણ 16:1
પછી મેં મંદિરમાથી મોટા સાદે વાણી સાંભળી. તે વાણીએ સાત દૂતોને કહ્યું; કે “જાઓ અને દેવના પૂર્ણ કોપથી ભરેલા સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”
પ્રેરિતોનાં ક્રત્યો 13:18
અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું.
દારિયેલ 11:36
“‘તે રાજા પોતાને મન ફાવે તે રીતે વર્તશે અને સર્વ દેવો કરતાં પણ પોતાને મોટો માનશે, અને દેવાધિદેવને વિષે પણ આભા થઇ જઇએ એવા નિંદાવચનો બોલશે. તેની સજાનો સમય આવે ત્યાં સુધી તો તે સુખસમૃદ્ધિ ભોગવશે. પણ જે નિર્માયું છે તે સાચું પડશે જ.
હઝકિયેલ 21:31
હું મારો કોપ તમારા પર રેડી દઇશ અને જ્યાં સુધી મોટી આગના ભભૂકે ત્યાં સુધી હું મારો કોપરૂપી અગ્નિ તમારા પર મોકલીશ. સંહાર કરવામાં કુશળ અને સ્વભાવે ક્રુર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.
હઝકિયેલ 20:11
મેં તેમને મારા નિયમો આપ્યા અને મારી આજ્ઞાઓ સમજાવી. જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે.
હઝકિયેલ 13:15
એ ભીંત પર અને તે લોકો પર મારો રોષ ઠાલવ્યા પછી હું તમને કહીશ: ‘ભીતો ગઇ અને તેને ચૂનો ધોળનારા પ્રબોધકો પણ ગયા.’
હઝકિયેલ 7:8
હમણાં જ હું મારો રોષ તમારા ઉપર ઉતારું છું, મારો કોપ ઠાલવું છું. હું તમારા દુષ્કમોર્નો હિસાબ માગનાર છું અને તમારા ધૃણાજનક કૃત્યોની ઘટતી સજા કરનાર છું.
યર્મિયાનો વિલાપ 4:11
યહોવાએ પૂરેપૂરો પોતાનો ક્રોધ બતાવ્યો. અને તેમણે તેને આગની જેમ વરસાવ્યો હતો. સિયોન નગરીમાં એવી આગ ચાંપી હતી જે તેના પાયાને સુદ્ધાં ભરખી ગઇ.
ગીતશાસ્ત્ર 106:29
યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
2 કાળવ્રત્તાંત 34:25
કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’
2 કાળવ્રત્તાંત 34:21
“તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇસ્રાએલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો રોષ આપણા ઉપર થયો છે તે ભયંકર છે, કારણકે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”
પુનર્નિયમ 9:23
અને પછી યહોવાએ તમને કાદેશ-બાનેર્આથી જયારે એમ કહીને મોકલ્યા કે, ‘જાઓ, મેં તમને જે પ્રદેશ આપ્યો છે તેનો કબજો લો.’ ત્યારે પણ તમાંરા દેવ યહોવાની સામે બંડ કર્યું. અને તે તમને મદદ કરશે એવો તમે વિશ્વાસ રાખ્યો નહિ. અને તેમની આજ્ઞાનું પાલન કર્યુ નહિ.
ગણના 25:1
જયારે ઇસ્રાએલીઓએ શિટ્ટીમમાં મુકામ કર્યો હતો, ત્યારે એ લોકો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.