Acts 15:28
પવિત્ર આત્માને તથા અમને પણ તે સારું લાગ્યું છે કે જરુંરિયાત કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. તમારે આ બાબતો કરવાની જરુંર છે:
Acts 15:28 in Other Translations
King James Version (KJV)
For it seemed good to the Holy Ghost, and to us, to lay upon you no greater burden than these necessary things;
American Standard Version (ASV)
For it seemed good to the Holy Spirit, and to us, to lay upon you no greater burden than these necessary things:
Bible in Basic English (BBE)
For it seemed good to the Holy Spirit and to us, to put on you nothing more than these necessary things;
Darby English Bible (DBY)
For it has seemed good to the Holy Spirit and to us to lay upon you no greater burden than these necessary things:
World English Bible (WEB)
For it seemed good to the Holy Spirit, and to us, to lay no greater burden on you than these necessary things:
Young's Literal Translation (YLT)
`For it seemed good to the Holy Spirit, and to us, no more burden to lay upon you, except these necessary things:
| For | ἔδοξεν | edoxen | A-thoh-ksane |
| it seemed good | γὰρ | gar | gahr |
| to the | τῷ | tō | toh |
| Holy | ἁγίῳ | hagiō | a-GEE-oh |
| Ghost, | πνεύματι | pneumati | PNAVE-ma-tee |
| and | καὶ | kai | kay |
| to us, | ἡμῖν | hēmin | ay-MEEN |
| upon lay to | μηδὲν | mēden | may-THANE |
| you | πλέον | pleon | PLAY-one |
| no | ἐπιτίθεσθαι | epitithesthai | ay-pee-TEE-thay-sthay |
| greater | ὑμῖν | hymin | yoo-MEEN |
| burden | βάρος | baros | VA-rose |
| than | πλὴν | plēn | plane |
| these | τῶν | tōn | tone |
| ἐπάναγκες | epanankes | ape-AH-nahng-kase | |
| necessary things; | τούτων | toutōn | TOO-tone |
Cross Reference
પ્રકટીકરણ 2:24
“પણ તમે બીજા લોકો જેઓ થુવાતિરામાં તેનાં બોધને અનુસર્યા નથી અને જેઓ શેતાનના ઉંડા મર્મોનો જે દાવો કરે છે, તેને જેઓ શીખ્યા નથી તે તમોને હું આ કહું છું કે: હું તમારા પર બીજો બોજો મૂક્તો નથી.
1 કરિંથીઓને 7:40
જો તે સ્ત્રી ફરીથી લગ્ન ન કરે તો તે વધુ પ્રસન્ન રહેશે. આ મારો અભિપ્રાય છે, અને હું માનું છું કે મારામાં દેવના આત્માનો નિવાસ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 5:32
અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”
યોહાન 16:13
પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે.
1 પિતરનો પત્ર 1:12
તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.
1 થેસ્સલોનિકીઓને 4:8
એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.
1 કરિંથીઓને 14:37
જો કોઈ પણ વ્યક્તિ એમ ધારતી હોય કે તે પોતે પ્રબોધક છે અથવા તેને આત્મિક દાન મળેલું છે, તો તે વ્યક્તિએ સમજવાની જરુંર છે કે તમને જે આ હું લખું છું તે પ્રભુનો આદેશ છે.
1 કરિંથીઓને 7:25
હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે.
પ્રેરિતોનાં ક્રત્યો 15:25
અમે બધા કેટલાક માણસોને પસંદ કરીને તમારી પાસે મોકલવા માટે સંમત થયા છીએ, તેઓ અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે રહેશે.
પ્રેરિતોનાં ક્રત્યો 15:19
“તેથી હું વિચારું છું કે આપણે બિનયહૂદિ ભાઈઓ જે દેવ તરફ વળ્યા છે તેઓને હેરાન ન કરીએ.
પ્રેરિતોનાં ક્રત્યો 15:8
દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી.
માથ્થી 23:4
તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.
માથ્થી 11:30
મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”