ચર્મિયા 9:24 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ચર્મિયા ચર્મિયા 9 ચર્મિયા 9:24

Jeremiah 9:24
પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે.

Jeremiah 9:23Jeremiah 9Jeremiah 9:25

Jeremiah 9:24 in Other Translations

King James Version (KJV)
But let him that glorieth glory in this, that he understandeth and knoweth me, that I am the LORD which exercise lovingkindness, judgment, and righteousness, in the earth: for in these things I delight, saith the LORD.

American Standard Version (ASV)
but let him that glorieth glory in this, that he hath understanding, and knoweth me, that I am Jehovah who exerciseth lovingkindness, justice, and righteousness, in the earth: for in these things I delight, saith Jehovah.

Bible in Basic English (BBE)
But if any man has pride, let it be in this, that he has the wisdom to have knowledge of me, that I am the Lord, working mercy, giving true decisions, and doing righteousness in the earth: for in these things I have delight, says the Lord.

Darby English Bible (DBY)
but let him that glorieth glory in this, that he understandeth and knoweth me, that I [am] Jehovah, who exercise loving-kindness, judgment, and righteousness in the earth; for in these things I delight, saith Jehovah.

World English Bible (WEB)
but let him who glories glory in this, that he has understanding, and knows me, that I am Yahweh who exercises loving kindness, justice, and righteousness, in the earth: for in these things I delight, says Yahweh.

Young's Literal Translation (YLT)
But -- in this let the boaster boast himself, In understanding and knowing Me, For I `am' Jehovah, doing kindness, Judgment, and righteousness, in the earth, For in these I have delighted, An affirmation of Jehovah.

But
כִּ֣יkee

אִםʾimeem
glorieth
that
him
let
בְּזֹ֞אתbĕzōtbeh-ZOTE
glory
יִתְהַלֵּ֣לyithallēlyeet-ha-LALE
in
this,
הַמִּתְהַלֵּ֗לhammithallēlha-meet-ha-LALE
understandeth
he
that
הַשְׂכֵּל֮haśkēlhahs-KALE
and
knoweth
וְיָדֹ֣עַwĕyādōaʿveh-ya-DOH-ah
me,
that
אוֹתִי֒ʾôtiyoh-TEE
I
כִּ֚יkee
Lord
the
am
אֲנִ֣יʾănîuh-NEE
which
exercise
יְהוָ֔הyĕhwâyeh-VA
lovingkindness,
עֹ֥שֶׂהʿōśeOH-seh
judgment,
חֶ֛סֶדḥesedHEH-sed
and
righteousness,
מִשְׁפָּ֥טmišpāṭmeesh-PAHT
earth:
the
in
וּצְדָקָ֖הûṣĕdāqâoo-tseh-da-KA
for
בָּאָ֑רֶץbāʾāreṣba-AH-rets
in
these
כִּֽיkee
delight,
I
things
בְאֵ֥לֶּהbĕʾēlleveh-A-leh
saith
חָפַ֖צְתִּיḥāpaṣtîha-FAHTS-tee
the
Lord.
נְאֻםnĕʾumneh-OOM
יְהוָֽה׃yĕhwâyeh-VA

Cross Reference

2 કરિંથીઓને 10:17
પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.”

1 કરિંથીઓને 1:31
તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”

મીખાહ 7:18
તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.

ગ લાતીઓને પત્ર 6:14
હું આશા રાખું છું કે આવી બાબત માટે હું પોતે કદી બડાઈખોર ના બનું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ તે એક જ મારે માટે અભિમાનનું કારણ છે. ઈસુના વધસ્તંભ ઉપરના મૃત્યુના પરિણામે મારે માટે આ દુનિયા મરી ચૂકી છે; અને દુનિયા માટે હું મરી ચૂક્યો છું.

ગીતશાસ્ત્ર 36:5
હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે, અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.

ગીતશાસ્ત્ર 44:8
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું! અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

ગીતશાસ્ત્ર 51:1
હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.

1 યોહાનનો પત્ર 5:20
અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે.

યોહાન 17:3
અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.

મીખાહ 6:8
ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે. અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે, ફકત તમે ન્યાય આચરો, દયાભાવને ચાહો અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.

યશાયા 61:8
યહોવા કહે છે, હું યહોવા ન્યાયને ચાહું છું, હું લૂંટ અને અયોગ્ય કાર્યને ધિક્કારું છું. હું દુ:ખ સહન કરતા મારા લોકોને વિશ્વાસુપણે બદલો આપીશ અને તેઓની સાથે સદાકાળનો કરાર કરીશ.

યશાયા 41:16
તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે. પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે; ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.”

ગીતશાસ્ત્ર 146:7
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે.

ગીતશાસ્ત્ર 145:7
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીતિર્ ગજાવશે; અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

ફિલિપ્પીઓને પત્ર 3:3
આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ (સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા.

નિર્ગમન 34:5
પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ ‘યહોવા’ જાહેર કર્યુ.

1 શમુએલ 15:22
પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે.

ગીતશાસ્ત્ર 91:14
યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.

ગીતશાસ્ત્ર 99:4
સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ, તમે ભલાઇનું સર્જન કર્યુ છે અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.

યશાયા 45:25
ઇસ્રાએલની સર્વ પેઢીઓ યહોવામાં ન્યાયી ઠરશે અને વિજય પામી જયજયકાર કરશે.

ચર્મિયા 4:2
અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ; તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે, તથા તેનામાં અભિમાન કરશે.”

ચર્મિયા 31:33
“પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે.

માથ્થી 11:27
મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.

લૂક 10:22
“મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણેછે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”

રોમનોને પત્ર 3:25
દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા.

2 કરિંથીઓને 4:6
દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.

રોમનોને પત્ર 5:11
હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને આનંદ છે.