1 Kings 13:18
વૃદ્વ પ્રબોધકે કહ્યું, “હું પણ તમાંરા જેવો પ્રબોધક છું;” અને આજે મને એક દેવદૂતે યહોવાનો સંદેશો આપતા કહ્યું છે કે, “માંરે તને ખોરાક અને પાણી માંટે માંરી સાથે ઘેર લઈ જવો.” હકીકતમાં વૃદ્વ પ્રબોધક તેની આગળ જૂઠ્ઠું બોલતો હતો.
1 Kings 13:18 in Other Translations
King James Version (KJV)
He said unto him, I am a prophet also as thou art; and an angel spake unto me by the word of the LORD, saying, Bring him back with thee into thine house, that he may eat bread and drink water. But he lied unto him.
American Standard Version (ASV)
And he said unto him, I also am a prophet as thou art; and an angel spake unto me by the word of Jehovah, saying, Bring him back with thee into thy house, that he may eat bread and drink water. `But' he lied unto him.
Bible in Basic English (BBE)
Then he said to him, I am a prophet like you; and an angel said to me by the word of the Lord, Take him back with you and give him food and water. But he said false words to him.
Darby English Bible (DBY)
And he said to him, I am a prophet also as thou art; and an angel spoke to me by the word of Jehovah saying, Bring him back with thee into thy house, that he may eat bread and drink water. He lied unto him.
Webster's Bible (WBT)
He said to him, I am a prophet also as thou art; and an angel spoke to me by the word of the LORD, saying, Bring him back with thee into thy house, that he may eat bread and drink water. But he lied to him.
World English Bible (WEB)
He said to him, I also am a prophet as you are; and an angel spoke to me by the word of Yahweh, saying, Bring him back with you into your house, that he may eat bread and drink water. [But] he lied to him.
Young's Literal Translation (YLT)
And he saith to him, `I also `am' a prophet like thee, and a messenger spake unto me by the word of Jehovah, saying, Bring him back with thee unto thy house, and he doth eat bread and drink water;' -- he hath lied to him.
| He said | וַיֹּ֣אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| unto him, I | ל֗וֹ | lô | loh |
| prophet a am | גַּם | gam | ɡahm |
| also | אֲנִ֣י | ʾănî | uh-NEE |
| angel an and art; thou as | נָבִיא֮ | nābîʾ | na-VEE |
| spake | כָּמוֹךָ֒ | kāmôkā | ka-moh-HA |
| unto | וּמַלְאָ֡ךְ | ûmalʾāk | oo-mahl-AK |
| word the by me | דִּבֶּ֣ר | dibber | dee-BER |
| Lord, the of | אֵלַי֩ | ʾēlay | ay-LA |
| saying, | בִּדְבַ֨ר | bidbar | beed-VAHR |
| Bring him back | יְהוָ֜ה | yĕhwâ | yeh-VA |
| with | לֵאמֹ֗ר | lēʾmōr | lay-MORE |
| into thee | הֲשִׁבֵ֤הוּ | hăšibēhû | huh-shee-VAY-hoo |
| thine house, | אִתְּךָ֙ | ʾittĕkā | ee-teh-HA |
| eat may he that | אֶל | ʾel | el |
| bread | בֵּיתֶ֔ךָ | bêtekā | bay-TEH-ha |
| and drink | וְיֹ֥אכַל | wĕyōʾkal | veh-YOH-hahl |
| water. | לֶ֖חֶם | leḥem | LEH-hem |
| But he lied | וְיֵ֣שְׁתְּ | wĕyēšĕt | veh-YAY-shet |
| unto him. | מָ֑יִם | māyim | MA-yeem |
| כִּחֵ֖שׁ | kiḥēš | kee-HAYSH | |
| לֽוֹ׃ | lô | loh |
Cross Reference
1 John 4:1
મારા વહાલા મિત્રો, હમણા જગતમાં ઘણા જૂઠા પ્રબોધકો છે. તેથી પ્રત્યેક આત્માઓ પર વિશ્વાસ કરવો નહિ પરંતુ તે આત્માઓ દેવ પાસેથી છે કે નહિ તે પારખી જુઓ.
Matthew 7:15
“જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે.
Numbers 22:35
યહોવાના દૂતે બલામને જણાવ્યું, “તું આ લોકો સાથે જા, પણ હું જેટલું કહું તેટલાં શબ્દો જ કહેજે.” આથી બલામ બાલાકના માંણસો સાથે ગયો.
Matthew 24:24
કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે.
Romans 16:18
એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે.
2 Corinthians 11:3
પરંતુ મને ભય છે કે તમારું મન તમને તમારા ખ્રિસ્ત પ્રત્યેના સાચા અને શુદ્ધ અનુસરણથી દૂર ઘસડી જશે જે રીતે સર્પે હવાની સાથે દુષ્ટ રીતે કપટ કર્યુ હતું અને છેતરી હતી.
2 Corinthians 11:13
આ લોકો સાચા પ્રેરિતો નથી. તેઓ અસત્ય બોલનાર કાર્યકરો છે. અને તેઓ તેમના પોતામાં પરિવર્તન લાવે છે, કે જેથી લોકો માને કે તેઓ ખ્રિસ્તના પ્રેરિતો છે.
2 Peter 2:1
ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે.
Revelation 19:20
પણ તે શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકો ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તે જૂઠા પ્રબોધક અને તે પ્રાણીને ગંધકથી બળનારા અગ્નિના સરોવરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યાં.
Ezekiel 13:22
“‘હું નીતિમાન લોકો ઉપર દુ:ખ લાવ્યો નહોતો તે છતાં તમે તમારા જૂઠાણાંમાંથી તેમને નિરાશ કર્યા છે. અને તમારા જૂઠા પ્રબોધકો દુષ્ટ લોકોને એટલું પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાનાં ભૂંડાં જીવનથી પાછા ફરતા નથી અને પોતાનાં જીવન બચાવતા નથી.
Ezekiel 13:9
ખોટાં સંદર્શનની વાત કરનાર અને જૂઠી વાણી ઉચ્ચારનાર પ્રબોધકોને હું સજા કરનાર છું. મારા લોકોની સભામાં તેમને સ્થાન નહિ મળે તેમના નામ ઇસ્રાએલીઓના ઇતિહાસમાં નોંધવામાં નહિ આવે. તેઓ ઇસ્રાએલની ધરતી પર ફરીથી પગ મૂકી શકશે નહિ. અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.
Jeremiah 28:15
ત્યારબાદ યમિર્યાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે,
Judges 6:11
એક દિવસ યહોવાનો દૂત અબીએઝેરી કુટુંબના યોઆશની માંલિકોના ઓફ્રાહ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજર ન પડે માંટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો.
Judges 13:3
યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “તું લાંબા સમયથી નિઃસંતાન અને વાંઝણી છે, પણ હવે તું ગર્ભવતી થશે અને તને પુત્ર જન્મશે!
Isaiah 9:15
વડીલો અને સન્માનનીય પુરુષો તે માથું અને ખોટો ઉપદેશ કરનાર પ્રબોધકો તે પૂંછડી છે.
Jeremiah 5:12
તેઓએ એમ કહીને અસત્ય ઉચ્ચાર્યુ છે, “‘યહોવા અમને મુશ્કેલીમાં મૂકશે નહિ! અમારા પર સંકટ આવી પડશે નહિ, અમે દુકાળ કે યુદ્ધ જોઇશું નહિ!’
Jeremiah 5:31
પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?”
Jeremiah 23:14
પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે, અને અન્યોને છેતરે છે, દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી; મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે, જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.”
Jeremiah 23:17
જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, “તમારી સાથે બધું સારું થશે, જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી,
Jeremiah 23:32
જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે.
Genesis 3:4
પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ.”